Follow US

Responsive Ad

ખલિલ જિબ્રાન 6 જાન્યુઆરી

શ્રી એલ.વી. જોષી                                
તમારા બાળકો તે તમારાં બાળકો નથી.તે તમારાં દ્વારા આવે છે,પણ તમારાંમાંથી આવતા નથી.તમે તેમને તમારો પ્રેમ આપો,પણ વિચારો નહીં. કારણ કે તેમને એમના પોતાના વિચારો છે.આ અવતરણ વિશ્વ- નો જન્મ 6/1/1883માં લેબનોનના બશેરી ગામમાં થયો હતો.ચિત્રકળાઓ તેને ભારે શોખ હતો.તેણે બાર વર્ષમાં અરબી,ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા શીખી લીધી.તેમની કૃતિઓનું વશીકરણ એટલું બધું વ્યાપક હતું કે જીવનના બધા જ ક્ષેત્રના માણસો એના શબ્દોથી કોઇને કોઇ રીતે પ્રભાવિત થતાં.પ્રેમ,લગ્ન,સંતાન,ઘર,વસ્ત્રો,સૌંદર્યો,મૃત્યુ જેવા  26  વિષયો પર  તેમના વિચારો અદભુત છે. કિશોરલાલ મશરૂવાલાએ વિદાયવેળાએ પ્રોફેટનો કરેલો અનુવાદ સાર્થક છે. જિબ્રાનના મતાનુસાર આનંદ અને દુ:ખ વચ્ચે પસંદગી કરવાની તક મને મળે તો સમગ્ર વિશ્વના સુખના બદલામાં હું  મારા અંત:કરણનું દુ:ખ કોઇનેય આપીશ નહી. આવા વિચારોને કારણે જ જિબ્રાનના સાહિત્યમાં અધિક વિશિષ્ટતા જોવા મળે છે. તેમના કેટલાક વાક્યો આજે ય લોકપ્રિય છે. તમે એક- બીજાને પ્રેમ કરજો પણ પ્રેમની સાંકળ ન બનાવશો. તમારા હ્રદયો એકબીજાને આપજો પણ એકબીજાને સોંપી દેશો નહી.ખલિલ જિબ્રાન માત્ર 48 વર્ષની ઉંમરે અવસાન પામ્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ