Follow US

Responsive Ad

રોન્તજેન વિલ્હેમ કોનરાડ 27 માર્ચ

શ્રી એલ.વી.જોષી
મહાન ભૌતિક વિજ્ઞની અને ક્ષ-કિરણોના શોધક રોન્તજેન  વિલ્હેમનો જન્મ 27/3/1845 ના રોજ જર્મનીમાં થયો હતો. હોલેન્ડમાં પ્રાથમિક શિક્ષન લઇ સ્વિત્ઝરલેન્ડની વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચતર અધ્યયન કર્યું. દરમિયાન ભૌતિક વિજ્ઞાનમાં રસ જાગ્યો. તેમણે પોતાનો વાયુઓના સ્વરૂપો પરનો મહાનિબંધ પૂરો કર્યો અને ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઇ. શૂન્યાવકાશવાળી નળીમાં ભારે દબાણવાળા વિદ્યુત કિરણો વહેવડાવવાના પ્રયોગો દરમિયાન બાજુમાં પડેલી બેરિયમ પ્લેટિનમની તકતી પર ચળકાટ ઉત્પન્ન થતાં ખીલી ઉઠયા. એક નવો આવિષ્કાર સામે આવ્યો અને તેમણે આ અજ્ઞાત કિરણોને એક્સ-રે(ક્ષ-કિરણો) નામ આપી દીધું. આ નવા અજ્ઞાત વિકરણો શરીરની આરપાર જઇ શકે છે તે જાણીને ઘણાંને આશ્વર્ય અને અચંબો થયો હતો. તેમની આ ક્રાંતિકારી શોધને કારણે તેમને ભારે સન્માનવાળું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ ઉપરાંત તેમણે પદાર્થ વિજ્ઞાનમાં કેશાકર્ષણ,સ્થિતિસ્થાપકતા,વિદ્યુત દબાણ વગેરે વિશે ખૂબ ઉપયોગી અને નિર્ણાયક સંશોધનો કર્યા. ઇ.સ.1923 માં રોન્તજેન વિલ્હેમનો દેહવિલય થયો. આપણે રોન્તજેનનું ઋણ સ્વીકારવું જ રહ્યું કે આ અદભુત કિરણો આવિષ્કૃત કરી ગયા, જાણે એમનો અજરઅમર આત્મા સ્વયં ઉપસ્થિત થઇ આપણને ભયાનક દર્દમાંથી બચાવી રહ્યા કેમ ન હોય !

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ